તરહી મિસરો :- બહેર:-
.કદાચિત . . . મરીઝ સાહેબ
.......ગઝલ....
કદાચિત હતા દર્દ કારણ વગર,
સહેતા રહ્યા છીએ મારણ વગર.
નથી કાનુડો કે ન ગોવાળિયા,
આ ગોકુળ અહિ સૂનુ માખણ વગર.
ગઝલનાં આ ફેરા સફળ તો થયાં,
થયા છે લગન આજ સગપણ વગર.
એ કારણ તરી જાય છે આ ફૂલો ,
વહેતા રહે છે એ ભારણ વગર .
લખાઈ ગઈ છે અમારી ગઝલ ,
વિચારો મહી " શ્વેત " સમજણ વગર .
મેવાડા ભાનુ " શ્વેત
No comments:
Post a Comment